માર્ક ૧-૮
જ્યારે આપણે સુવાર્તાઓ વાંચીએ ત્યારે આપણે હંમેશા ઉત્સાહિત થવું જોઈએ. સુવાર્તા વૃતાંતોમાંની જાણકારી સિવાય આપણી પાસે ઈસુના મનમાં ઊંડા ઉતરવાનો બીજો કોઈ રસ્તો નથી. આપણા પ્રભુના જીવનનું આ લેખિત પ્રમાણ આપણને નવો પ્રકાશ મેળવવા અને મળેલા નવીન આત્મિક જ્ઞાન પરત્વે ખુશ થવાનું એક શક્તિશાળી માધ્યમ છે.
માર્ક ઈસુને એક નમ્ર સેવક તરીકે પસ્તુત કરે છે, બોલતાં માણસ કરતાં વધારે કાર્ય કરનાર માણસ તરીકે. આના પરિણામે, ઈસુના ઉપદેશો નહીં પણ તેમના કાર્યો, ઈસુના જીવન અને સેવાકાર્યના આ વૃતાંતમાં વધારે વર્ચસ્વ ધરાવે છે.
માર્કની સુવાર્તાનો કાળજીપૂર્વકનો અભ્યાસ તમારું અને અન્ય લોકોનું જીવન બદલી નાખશે. આપણા પ્રભુના જીવનના આ વૃતાંતમાં મળેલા સંદેશાઓ આપણા હૃદયને ઈશ્વર કેન્દ્રિત જીવન જીવવા અને અન્ય લોકો સાથે સુવાર્તા વહેંચવાનો ઉત્સાહ આપણા હૃદયોને વીંધી શકે છે.













